સોમવાર, 15 ઑક્ટોબર, 2012

શ્રાધ્ધ પક્ષ : કાગડાઓની દિવાળી



આપણે દિવાળી મનાવીએ બરાબર એ પહેલા આ દુનિયાનો એક જીવ દિવાળી મનાવી ચુક્યો હોય છે. અને એ જીવ છે આપણા પિતૃઓનો પ્રતિનિધિ એટલેકે કાગડાઓ અને એમની દિવાળી એટલે આપણા કમોરતા એટલેકે શ્રાધ્ધ પક્ષ. પંદર દિવસ  સુધી ચાલનારા  આ કાગ ઉત્સવમાં બધાજ કાગડાઓ સપરિવાર ભાગ લેતા હોય છે। બધા કાગ સભ્યો પોતપોતાનો વિસ્તાર નક્કી કરી ને સજ્જ  થઇ  જાય છે માણસો તરફથી અર્પણ થતા પિતૃઓના કાગવાસ ને આરોગવા। આ પંદર દિવસ જો કોઈ સૌથી વધારે વ્યસ્ત હોય તો તે છે પિતૃકર્મ  કરાવનારા બ્રાહ્મણ અને કાગડાઓ .

ભારતભર માં   કાગડાઓ સર્વત્ર ફેલાયેલા છે। ભાગ્યેજ કોઈ વિસ્તાર કાગડા અને તેના કા  કા  કાગારોળ થી મુક્ત હોય છે। ચાંચ થી પૂછડી સુધી કાળાશ   ના  સમાન આ જીવ ને ભાગ્યે જ કોઈ બાકીના દિવસ યાદ કરતુ હોય છે। પણ  પિતૃપક્ષ ના આ પંદર દિવસ તેઓ  રાષ્ટ્રીય પક્ષી બની જાય છે। ઠેર ઠેર અગાસીઓમાં   લોગો એમની કાગવાસ લઈને  માણસ  થઈને કાગડોળે વાટ  જોતા હોય છે, કે ક્યારે આ પંખી સમાન દૂત આવે અને કાગવાસ  આરોગે અને અમે આ ગરમ કાળજાર  ધાબા  પરથી નીચે ઉતરીએ।

શ્રાધ્ધ પક્ષ આવતાજ અચાનક બધાને પોતપોતાના પિતૃઓની યાદ આવી જાય અને એ પણ એ  પ્રમાણે કે  કાગડાઓ બિચારા ઓવર   ટાઈમ કરી કરીને થાકી જાય. સદીઓથી ચાલી આવતી આ પ્રથામાં કાગડાઓ એક હત્થું રાજ ધરાવે છે. શ્રાદ્ધ પક્ષ આવ્યો નથી કે આગાશીઓ પર જાણે કોઈ મૉલના કૉટૅમાં ડિસ્પ્લેમાં  રાખ્યા હોય એમ પૂરી , ખીર અને ભજીયા ગોઠવાય જતા હોય છે.

 ભારતભરમાં આ પિતૃપક્ષને યોગ્ય ન્યાય આપવાનું બીડું  આ વર્ષે  અખિલ ભારતીય કાગડા સમિતિએ  માથે લીધું છે। આખાય દેશભરમાંથી ચુટાયેલા ધુરંધરો અને ઘણા પિતૃપક્ષ જોઈ ચૂકેલ કાગડાઓની  નિમણુક  કરાયેલ છે। ઘણી મહેનતે અને રાત રાત ભાર ના ઉજાગરા કરી એમને એક સુજાવપત્ર તૈયાર કર્યો છે  જે માણસ  જાતિને  નિભાવવાનો છે। ઘટતા જતા કાગ સભ્યોને કારણે થતી મુશ્કેલીઓથી બચવા માટે  "કાગવાસ  ઓન લાઈન પોર્ટલ   " શુરુ કરવાનો પણ પ્રસ્તાવ છે।

અખિલ ભારતીય કાગડા સમિતિ તરફથી પિતૃપક્ષ પ્રેમી માણસોને સૂચનાઓ નીચે પ્રમાણે છે।

૧. મેનુ બદલવું. વર્ષોથી એક નું એક કાગવાસ જોઈને મોટાભાગ ના યુવા કાગડાઓ એ  એને બદલવાની   માંગણી કરી છે. એક સરખા પૂરી ખીર ને રુખસદ આપી નવી વાનગીઓ અપનાવવી, જેવી કે નૂડ્લેસ, પિઝ્ઝા, ટાકોસ વગેરે વગેરે.

૨. મહેરબાની કરીને જલ્દીથી હવાય જાય એવી અને વાસી વાનગીઓ અમારા પર ના ઠપકારવી. 

૨. ભૂલ્યા વગર ખાદ્ય પદાર્થની બાજુમાં ટીસ્યું પપેર રાખવું.

૩. કાગવાસ મૂકી ખોટે ખોટા જોર જોર થી તુચ્કારા કરી કાગારોળ ના મચાવવી. શાંતિથી અમને નિરાંતે કાગવાસનું જમણ કરવા દેવું।

૪. અગર કાગવાસ મૂક્યાના દસ મીનીટમાં કોઈ કાગ સભ્ય ના દેખાય તો  અમારા ટોલ ફ્રી નંબર  પણ જાણ કરવી. કારણ વગર અમને ના કોસવા. એક એક કાગ સભ્ય સો-સો પિતૃઓનો અકાઉન્ટ સંભાળતો હોય છે.

૫. કાગવાસ ની માત્રાં કાગડાઓની સંખ્યા જોઈ ને વધારવી જરૂરી છે. ફક્ત એકાદ બે પૂરી લઈને જ ધાબા  પર ચઢી ના આવવું.

૬. વર્ષોથી તળેલું અને ગળ્યું ખાઈ ખાઈ ઘણા કાગ સભ્યોની ચરબી  ગયી છે , બની શકે ત્યાં સુધી સુગર ફ્રી અને ઓલીવ તેલ વાપરવું.

૭. કાગવાસ બની શકે ત્યાં સુધી  છાયામાં મુકવું જેથી કાગ સભ્યની  ત્વચા વધારે ઘેરીના બને।

૮.કાગવાસ આરોગતી વખતે માથે ઉભા ના રહેવું અને વાતોના વડા ના કરવા.

9. ઉચા ઉચા ટોવેર્સમાં રહેનારે કાગવાસ પોતાની આગાશીમાં ના રાખતા નીચે મૈદાનમાં રાખવું. ઉચે ઉચે ઉડાવી અમારી પાંખો પાસે વધારે શ્રમ ના કરાવવો .

આ નવસુત્રી સૂચનો અમલ કરવારી બાંહેધરી આપનાર  મનુષ્ય યજમાનોનો જ  કાગ સભ્ય કાગવાસ આરોગશે।


3 ટિપ્પણીઓ:

  1. Khub Saras .. mind fresh thai gayu. Vichari pan na shakay ke kaagda o ni pan ichhchha hoi..

    Bahu saras humouristic chhe. Keep on writing like this.

    જવાબ આપોકાઢી નાખો
  2. Khub Saras .. mind fresh thai gayu. Vichari pan na shakay ke kaagda o ni pan ichhchha hoi..

    Bahu saras humouristic chhe. Keep on writing like this.

    જવાબ આપોકાઢી નાખો
  3. વાંચીને જ પેટ ભરાય ગયું.
    પ્રકાશ ટેલર

    જવાબ આપોકાઢી નાખો